સિકલ સેલ એટલે શું ?
#SickleCellDiary
#donateambulence
આદિવાસી વિસ્તારો અને સિકલ સેલ મહામારી......
સિકલ સેલ એ એક વારસાગત લોહીની બીમારી(ખામી)છે.જે મોટે ભાગે આદિવાસી અને આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે..હા થોડા વર્ષોથી આ બીમારી શહેરો તરફ પોતાની પકડ જમાવી રહી છે..કારણ કે હવે ગામડાના લોકો શહેર તરફ જઈ રહ્યા છે..
સરકાર શ્રી ના 2011 ના senses મુજબ ગુજરાતમાં 90 લાખ Tribal pouplation છે..જેમાંથી 9 લાખ લોકોને સિકલ સેલ ટ્રેટ છે જ્યારે 70 હજાર લોકો સિકલ સેલ ડીસીઝ થીં પીડિત છે..આતો સરકારી આકળા છે..એમ જોવા જઈએ તો આ સિકલ સેલ પીડિતો ની સંખ્યા લાખોમાં છે..પરંતુ આપણે આકળા ની પળો જળમાં નહિ પડતા એને કેવી રીતે કાબુમાં લાવી શકાય એ બાબતની ચર્ચા કરીયે..
સિકલ સેલ એ કોઈ ચેપી રોગ કે છુ અછૂત નો રોગ નથી..આ એક વારસાગત લોહીની ખામી છે જે બાળકના માતા પિતા દ્વારા એના બાળકોમાં વારસામાં મળે છે..
મને ઘણી વાર પૂછવામાં આવે છે કે આ સિકલ સેલ ની બીમારી મુખત્વે આદિવાસીઓમાંજ કેમ જોવા મળે છે..ચાલો આજે થોડી વાત સિકલ સેલ ના ઉદ્દભવ ની કરૂ...
સિકલ સેલ એ એક વારસાગત જીનેટિક રોગ છે અને પોઇન્ટ Mutation થવાથી ઉધભવ પામેલ રોગ છે...સાએન્ટિસ્ટ લોકોના મત પ્રમાણે આ રોગ જંગલ અને પહાડી વિસ્તરોમાં વધારે જોવા મળેલ હતો કરણ કે વર્ષો પહેલા જંગલમાં રહેતા લોકોને મલેરિયા ના રોગ સૌથી વધારે થતો હતો અને આ મલેરિયાના લીધે ઘણી માત્રામાં લોકોના મરણ થતા હતા કારણકે એ જમાનામાં મલેરિયા માટે કોઈ દવા કે ઈલાજ નહતો...આને લીધે વર્ષો વીતતા આ બીમારીને લીધે શરીરમાં genetic Mutation થવાથી સિકલ સેલ નામની વારસાગત બીમારી આ જંગલમાં રહેતા લોકોને થવા લાગી અને ઇતિહાસના પાના ખોલોતો ખબર પડસેજ કે જંગલ એ આદિવાસી ઓનું ઘર અને સર્શ્વસ્વ હતું અને છે..અને આ કારણોસર સિકલ સેલ એ આદિવાસી ઓના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે એમ કહેવું અતિશયોક્તિ નથી....
1910.માં ડો જેમ્સ બી હેરીકે વિશ્વમાં સિકલ સેલ નો પ્રથમ કેસ રિપોર્ટ કર્યાં અને એનું નામ કરણ સિકલ સેલ આપિયુ..નોએલ નામના આફ્રિકન વિદ્યાર્થ આ સિકલ સેલ બીમારીનો પ્રથમ કેસ હતો...આમ તો આ બીમારી પૃથ્વીની પર હજારો વર્ષોથી હતી અને છે પરંતુ એનું નામકરણ 1910 માં સિકલ સેલ નામે થયું...
સિકલ સેલ એટલે શું ?
શરીર માં રક્તકણ ગોળા કાર માંથી દાંતરડા આકારમાં ફેરવાઈ જાય છે તે બીમારીને સિકલ સેલ કહેવામાં આવે છે.
સિકલ સેલ એનિમિયા એટલે શું ?
શરીરમાં દાંતરડા જેવા રક્તકણ ને લીધે હિમોગ્લોબિન ઓછું થવાથી જે પરિસ્થિતિ ઉધભવે છે તેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે.
આ લોહીનો વારસાગત રોગ છે
મોટે ભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે પરંતુ થોડા સમયથી આ રોગ બીજા સમાજમાં પ્રસરતો જોવા મળ્યો છે.
ગુજરાતમાં અંદાજે 20 થી 30 % આદિવાસી સમાજમાં જોવા મળે છે.
સિકલ સેલ ના પ્રકાર કેટલા ?
1) સિકલ સેલ ટ્રેટ(વાહક 50%)
2) સિકલ સેલ ડીઝીઝ(100% ખામી)
સિકલ સેલના પ્રકાર જાણવા માટે કરવામાં આવતા લોહીના ટેસ્ટ
(LABORATORY INVESTIGATION)
1 SICKLING TEST
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ની બીમારી છે કે નથી
આ ટેસ્ટ મોટે ભાગે ગુજરાતની દરેક આદિવાસી વિસ્તારના સરકારી દવાખાના કે હોસ્પિટલો(CHC,PHC,DISTRICT HOSPITAL) માં મફત કરી આપવામાં આવે છે.અને પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ અંદાજે 100 Rs ની કિંમતમાં કરી આપવામાં આવે છે.
દરેક આદિવાસી સમાજના લોકોએ અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોએ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ.
2 HB ELECTROPHORESIS TEST(HPLC)
આ ટેસ્ટ સિકલિંગ ટેસ્ટ પોઝિટીવ આવે તેવા લોકો ને કરવામાં આવે છે.
આ ટેસ્ટથી તમને ખબર પડશે કે તમને સિકલ સેલ ટ્રેટ છે કે સિકલ સેલ ડીઝીઝ છે.
આ ટેસ્ટ મોટી હોસ્પિટલો કે જિલ્લાની સરકારી હોસ્પિટલો માં કરવામાં આવે છે.
આ ટેસ્ટની કિંમત અંદાજે 500 થી 600 Rs જેટલી થાઈ છે.
આ ટેસ્ટ ઘણોજ મહ્ત્વનો છે કારણ કે આ ટેસ્ટથીજ તમને સિકલ સેલની વીશેની ચોક્કસ માહિતી મળશે.
સિકલ સેલ એનિમિયાના લક્ષણો.
ફિક્કાસ આવવી
થાક લાગવો
વારે વારે બીમાર પડવું
કમળો થવો
પેટ ફૂલવુ કે દુખાવો થવો
બરોળ મોટી થવી
સાંધામાં દુખાવો થવો કે સોજો આવવો
હાથ કે પગમાં દુખાવો થવો
આ સિવાય બીજી ઘણી બધી શારિરીક તકલીફો થઈ શકે છે.
સિકલ સેલ ટ્રેટ (50 % વાહક)
સિકલ સેલ ટ્રેટ ધરાવતા લોક ને મૉટે ભાગે કોઈ પણ જાતના શારીરિક લક્ષણો જોવા મળતા નથી.
એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે છે
કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી
આવી વ્યક્તિએ લગ્ન કરતી વખતે ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે.આવી વ્યક્તિ એક નોર્મલ વ્યક્તિ જોડે લગ્ન કરેતો વધારે સાનુકૂળ જીવન જીવી શકે કારણ કે આ લોકોથી જે બાળકો પેદા થશે તે બાળકોમાં સિકલ સેલ ડિઝીઝ થવાની શક્યતા હોતી નથી.
સિકલ સેલ ડિઝીઝ( 100% ખામી) અથવા સિકલ સેલ એનિમિયા
માતા અને પિતા બંન્ને માંથી જયારે ખામીયુક્ત રંગસૂત્રો મળે તો સિકલ સેલ ડિઝીઝ થાઈ.
આવા દર્દીઓનું પ્રમાણ દર 100 વ્યક્તિએ 2 કે 3 નું હોઈ છે( આદિવાસીઓમાં મુખત્યેવે)
કાયમ સારવારની જરૂર પડે.
લગ્ન હંમેશા નોર્મલ વ્યક્તિ જોડેજ કરવા.
નિયમીત દવા લેવી
મલેરિયા ના થાઈ તેની ખાસ કાળજી રાખવી
દરેક ઋતુમાં શરીરની કાળજી રાખવી.
Tab Folic Acid ની ગોળી દરોજ લેવી
Tab Hydroxyurea ની ગોળી જો ડૉક્ટર શ્રી એ લેવાની સલાહ આપી હોઈ તો જરૂંરથી લેવી.
હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અને સારવાર લેવી
Comments
Post a Comment